Rupala Controversy; રુપાલા વિવાદ મામલે કીર્તિ પટેલે પદ્મીનીબાને આડેહાથ લીધા, તમે કેટલા ખોટા કેસમાં કેટલાકને ફસાવ્યા છે મને ખબર છે : કીર્તિ પટેલ

Rupala Controversy : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala )રાજા મહારાજાઓ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદને કારણે એક તરફ ક્ષત્રિય સમાજમાં (Kshtriy samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે ક્ષત્રિય સમાજમાં પણ બે ફાંટા પડ્યા છે. થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજના પદ્મીનીબાએ (PadmiBa Vala) સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આ મામલે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે (Kirti Patel) પદ્મીનાબાને આડેહાથ લીધા છે. કીર્તિ પટેલે પદ્મીની બા પર પ્રહાર કરતા ક્ષત્રિય સમાજના લોકોને રુપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી.

પદ્મિનીબા પર ભડકી કીર્તિ પટેલ

કીર્તિ પટેલે કહ્યું કે, પદ્મિનીબા તમારે કરવું છે ? સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યુ છતા પણ તમને સંકલન સમિતિ પરથી ભરસો ઉઠી ગયો. અને તમારા મનમાં ઘણા બધા સવાલો ઉઠી ગયા. પહેલા તમારે શું કરવું છે તે તમે નક્કી કરી લ્યો. માણસ માત્ર ભુલને પાત્ર હોય, રુપાલા સાહેબના શબ્દોમાં ભુલ છે, માણસ ખરાબ નથી. રુપાલા સાહેબે પોતાની આખી જીંદગી સેવામા જ નાખી દીધી. તે પણ 18 એ વર્ણને જોડે રાખીને. ક્યારેય પણ તેમને પક્ષપાત નથી , આજે કોઈ માણસ એક ભુલ કરે તો તેના 7 કામને વખાણવા પડે તેની એક ભુલ ન જોવાની હોય.

પદ્મનીબાને યાદ કરાવી પોતાની ભૂલ

વધુમાં તેને પદ્મીનીબાને કહ્યું કે, તમે પહેલા ક્ષત્રિય સમાજને ઉશ્કેરો છો, એવું આંદોલન કરાવો છો અને આજે હટી જાવ છો. પહેલા તમે જ કહો છો કે આંદગોન કરો નહીતર ઘરે ઘરે બંગળીયો મોકલુ છુ પહેરીલ્યો. તમે તમારા સમાજનું ય સારુ નથી બોલતા તો બીજાનું શું. વધુમાં તેને કહ્યું કે, પદ્મીની બેન યાદ છે ને કે તમારાથી પણ એક ભુલ થઈ હતી. તમે દલીત સમાજ વિશે બોલ્યા હતા ત્યારે તમને દલીત સમાજે પણ મોટુ મન રાખીને માફ કર્યા હતા. તે ના ભુલતા.

રુપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજને કરી અપીલ

વધુમાં તેને કહ્યું કે, રુપાલા સાહેબના શબ્દોની ભુલ છે અને તેમને ત્રણથી ચાર વાર માફી પણ માંગી. છતા પણ તમારા નવા નવા વિચારો અને આંદોલનો કરો ઠછો, જૌહર કરવાની વાત કરો છો તમે તો જૌહરને પણ બદનામ કર્યું. ઈતિહાસ વાચી લેજો પહેલા. આજે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે આજે આખી દુનિયા તેમને ચાહે છે. મારી પાસે એક વીડિયો છે જેમા તે એવું બોલે છે કે અમે આલુ મવાલીની દિકરીઓ કે બાયડીઓ નથી. તોશું બીજા સમાજના આલુ મવાલી છે. પહેલા તમે તમારી જીભ પર કંટ્રોલ રાખો અને પછી બોલો. તમે ક્ષત્રિય સમાજને શું આપ્યું ?

વધુમા કીર્તિએ ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહ્યું કે, હું પટેલ સમાજની દિકરી થઈને તમને અપીલ કરુ છુ કે, રુપાલા સાહેબ આપણા વડીલ છે. તેમણે ત્રણ-ચાર વાર માફી માંગી છે તો બધુ ભુલીને મોટુ મન રાખીને તેમને માફ કરો. ક્ષત્રિય સમાજને લીલા માથા દીધા છે તો તમે રુપાલા સાહેબની એક ભુલ માફ નહીં કરો.

પદ્મીનીબા પર આક્ષેપ

પદ્મીનીબા પર પ્રહાર કરતા તેને કહ્યું કે, પદ્મીનીબેન ખોટી રીતે સમાજને ઉશ્કેરે છે. અને અત્યારે બેન ભર્યુ ભર્યું બોલે છે એટલે બેનને પૂછો કે, તમારે શું કરવું છે, ચૂંટણી લડવી છે ? તમને સ્ટેજ પર ઓછુ બોલવાનો સમય આપ્યો તોય તમને ખોટુ લાગ્યું. ત્યારે તમે એવા રેકોર્ડીંગ બહાર પાડો છો કે, ગાંધીનગર મીટીંગ કરવા ગયા તો બધા ભળી ગયા. તમને તમારા સમાજ પર ભરોસો નથી ? તમને તમારા ભાઈઓ પર ભરોસો નથી ? તમારે તમારુ જાણવું હોય તો મને રુબરુ મળજો, તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાવ્યા છે તેની બધી ડીટેલ મારી પાસે છે.

Leave a Comment